વિદેશી ‘બટેટા’ ભારતીય થાળી સુધી કઈ રીતે પહોંચ્યા? માણો.. ‘બટેટા’ની રસપ્રદ સફર

- text


આયુર્વેદના ગ્રંથ ‘ચકતસંહિતા’માં ‘બટેટા’નો ઉલ્લેખ નથી : જહાંગીરના સમયમાં બટેટા ભારતમાં આવ્યા હોવાની માન્યતા

જાણો.. બટેટાનો ઇતિહાસ, વિવિધ ભાષામાં નામ, ફાયદા, ગેરફાયદા સહિતની વિગતવાર જાણકારી

બટેટા ભારતીય ભોજનનો અભિન્ન ભાગ બની ગયો છે. બટાકા વગરની ભારતીય થાળીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઉપવાસમાં પણ બટેટાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટા મૂળ ભારતનું શાક નથી અને તે માત્ર 500 વર્ષ પહેલા જ ભારતમાં આવ્યું છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેને ઉકાળીને કે શેકીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

આપણે બટેટાના ઇતિહાસ પર નજર કરીએ તો લગભગ 7 હજાર વર્ષ પહેલાં મધ્ય પેરુમાં બટેટાનો ઉપયોગ થતો હતો. બટેટા 16મી સદીમાં સ્પેન પહોંચ્યા. તે સ્પેન મારફતે યુરોપમાં એન્ટ્રી લીધી. યુરોપના વેપારીઓ ભારતમાં બટેટા લાવ્યા હતા. એવું કહેવાય છે કે મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં બટેટા ભારતમાં આવ્યા હતા. ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર ગવર્નર વોરેન હેસ્ટિંગ્સના સમયમાં (1772થી 1785 સુધી) ભારતમાં બટેટાનો વ્યાપકપણે ફેલાવો થયો હતો.

આ ઉપરાંત, બીજી સદીમાં લખવામાં આવેલા આયુર્વેદના મહાન ગ્રંથ ‘ચકતસંહિતા’માં તેની કોઈ જાણકારી નથી. આ પુસ્તકના ‘અન્નપાનવિધિ પ્રકરણ’માં ભીંડા, પેથા જેવા અનેક શાકભાજી વિશે માહિતી છે, પરંતુ બટાટા વિશે ઉલ્લેખ નથી. તે ઉપરથી કહી શકાય કે બટેટા એક વિદેશી શાકભાજી છે. આમ છતાં, બટેટાએ ભારતમાં તમામ શાકભાજીનો રાજા છે અને તે તમામ શાકભાજી સાથે સંયોજન ધરાવે છે. બટેટા-શાક, કઢી-બટેટા, બટેટા-કોબી, બટેટા-ડુંગળી, બટેટા-ટામેટા જેવા અનેક પ્રકારનાં શાકભાજીમાં બટેટાનું આગવું સ્થાન છે.

- text

આજે ચીન, ભારત, રશિયા બટેટાના મુખ્ય ઉત્પાદક દેશો છે. ચોખા, ઘઉં અને મકાઈ પછી બટાટાએ વિશ્વનો ચોથો સૌથી મહત્વપૂર્ણ પાક છે અને બિન-અનાજમાં પ્રથમ છે. બટેટા ઘણા નામોથી ઓળખાય છે. સંસ્કૃત-સુકંદક, હિન્દી-બટાટા, કન્નડ-બટાટા ગીડ્ડે, ગુજરાતી-બટાટા, મરાઠી-બટાટા, તમિલ-ઉરલકિલાંગુ, તેલુગુ-ઉરલગડ્ડા, બંગાળી-બટેટા, મલયાલમ-ઉરુલાઈકિલાન્નુ, અંગ્રેજી-પોટેટો.

બટેટાના ફાયદા

બટેટામાં પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સ્ટાર્ચ, પોટાશ અને વિટામિન A અને D પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વજન પણ વધે છે. બટેટાને તળ્યા પછી મસાલા વગેરે લગાવવાથી જે ગ્રીસ પેટમાં જાય છે તેનાથી મેદસ્વીતા વધે છે. બટેટાને બાફીને અથવા તેને ગરમ રેતી અથવા રાખમાં શેકીને ખાવાથી ફાયદો થાય છે. બટેટામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-બી અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. બટેટા ખાવાથી લોહીની નળીઓ લાંબા સમય સુધી લચીલી રહે છે અને સખત થતી નથી.

બટેટાના ગેરફાયદા

બટેટા વધુ પડતા ખાવાથી શરીરમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. બટેટામાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ સંધિવાના દર્દીઓ માટે હાનિકારક છે. આનાથી તેમનું વજન વધીને આર્થરાઈટિસનો દુખાવો વધી જાય છે. તેનાથી બ્લડ શુગરનું પ્રમાણ વધે છે. બટાકામાં પૂરતી માત્રામાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે. આ એવા તત્વો છે જે શરીરનું વજન વધારે છે. બટાકાનું સેવન કરવાથી સોજો અને સાંધાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

- text