વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક

- text


મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે તમામ હિન્દુ સંગઠનની એક મીટીંગ રાખવામાં આવી છે. આ મિટિંગમાં દરેક સંગઠનના પ્રમુખ વ્યક્તિને અચૂક હાજરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયુ છે.

- text