મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં લાભ લીધેલ 300 દર્દીઓ પૈકી 110 દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા 300 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 110 લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે.અત્યાર સુધીના 8 કેમ્પમાં કુલ 3081 લોકોએ લાભ લીધો.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની તા.4ના રોજ શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે.જે અંતર્ગત આજરોજ સોમવારની સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 300 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.તે ઉપરાંત 110 લોકોના આવતીકાલે નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.અત્યાર સુધીના 8 કેમ્પમાં કુલ 3081 લોકોએ લાભ લીધો.સ્વ.યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાયો હતો.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર,આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તો,ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા,જયેશભાઈ કંસારા,ચિરાગ રાચ્છ,નરેશભાઈ ઠક્કર,અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી.
કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 98250 82468,હરીશભાઈ રાજા- 98792 18415,નિર્મિતભાઈ કક્કડ-9998880588,અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે 7 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ 2781 લોકોએ લાભ લીધો હતો તેમજ 1302 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પ નં-8મા કુલ 300 દર્દીઓએ લાભ લીધો હતો.તેમજ કુલ110 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે.

- text