વાંકાનેરમાં શનિવારે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્પ

- text


જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયોજન 

વાંકાનેર : વાંકાનેરમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શનિવારે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજવામાં આવનાર છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના અને માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત – મોરબી દ્વારા વિનામૂલ્યે મેગા આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. 02ને શનિવારે સવારે 9થી બપોરે 1 કલાક સુધી ઉમેદચંદભાઇ તથા કસુંબાબેન મહેતા પુસ્તકાલય, બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર ખાતે યોજાશે. જેમાં વિવિધ રોગોની સારવાર તથા માર્ગદર્શન તદ્દન મફત આપવામાં આવશે.

- text

કેસની નોંધણી સ્થળ પર વહેલા તે પહેલાનાં ધોરણે સવારે 9 કલાકેથી કરવામાં આવશે. આ કેમ્પમાં સરકારી આયુષ દવાખાનાનાં આર્યુવેદ તથા હોમિયોપેથીક ડૉકટરો તેમની સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા જિલ્લા પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text