મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ

- text


રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

- text

મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.

મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી તા.3ના રોજ શનાળા બાયપાસ,એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી,મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ પ્રારંભ સવારે 7:30 કલાકે,ધજા વિધિ સવારે 9:30 કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે 1:30 કલાકે થશે.આ જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજા મો.94295 65187 સંપર્ક કરવો.

- text