મોરબીના કડીવાર પરિવારે વિશ્વ ચકલી દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબીમાં વિશ્વ ચકલી દિવસ નિમિતે કડીવાર પરિવાર દ્વારા પક્ષીઓ માટે ચબુતરો બનાવ્યો, ચકલી ઘરનું વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષો વાવી અને ઉછેરી અને પર્યાવરણ બચાવીએનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તથા સ્વ.કડીવાર મોહનભાઈ ગોકળભાઈની 27મી પુણ્યતિથી નિમિત્તે કડીવાર પરિવાર અને પર્યાવરણ પરીવાર દ્વારા પ્રેરણાદાયક કાર્ય કરવા પક્ષીઓ માટે ચબુતરો બનાવ્યો, ચકલી ઘરનું વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા. માત્ર એક દિવસ નહીં દરરોજ ચકલીઓની ચિંતા કરી અને ચકલીઓનો મધુર કલરવ સંભાળવો હોય તો વૃક્ષો વાવો અને ઉછેરો તથા પર્યાવરણ બચાવો અંગે લોકોને અપીલ કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text