સ્વજનની પુણ્યતિથિ નિમિતે ઘીયાવડ પ્રાથમિક શાળામાં છાત્રોને વોટરબેગનું વિતરણ

- text


વાંકાનેર : સ્વજનની પુણ્યતિથિ નિમિતે નિરર્થક ખર્ચ કરવાને બદલે લોકોને ઉપયોગી બને તેવી વસ્તુ આપી પ્રેરણાત્મક પુણ્યતિથિ ઉજવાતા હોય છે.એ જ રીતે વાંકાનેરના રહેવાસીએ પોતાની માતાની પુણ્યતિથિ નિમિતે શાળાના બાળકોને વોટરબેગની ભેટ અર્પણ કરી હતી.

- text

વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં શાળાના કુલ.171 બાળકોને સ્વ.ચંદ્રાબા ક્રિપાલસિંહ ઝાલાના પુણ્યતિથિ નિમિતે તેમના સ્મરણાર્થે જયદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલાના હસ્તે વોટરબેગ.(કિંમત – 17000 રૂ)ની ભેટ આપવામાં આવી હતી.”બાલદેવો ભવ :” ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્ય ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે.શાળા પરિવારે જયદીપસિંહ ઝાલાનો આભાર માન્યો હતો.

- text