ટંકારામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવારે નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર

- text


ટંકારા : ટંકારામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ : ૦૬ માર્ચને રવિવારના રોજ ટંકારા તાલુકામા ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા સાંજે:- ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યે દયાનંદ ચોક, આર્યસમાજ ખાતે એક દિવસની યોગ શિબિરનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા આર્ય સમાજના આચાર્ય રામદેવજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી તથા મોરબી જિલ્લાના કોર્ડીનેટર વાલજીભાઇ પી. ડાભીની યોગ શિબિરમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે. યોગ શિબિર દરમ્યાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાનો હેતુ, યોગ વિશે માહિતી અને પ્રેક્ટિકલ યોગ શા માટે કરવો જરૂરી છે?, યોગના વિવિધ રોગમાં ફાયદાની ચર્ચા કરવામાં આવશે. તમામ યોગ સાધકોએ યોગ મેટ (પાથરણું, શેતરંજી) સાથે લઈને આવવાનું રહેશે.

- text

યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમસ્ત ટંકારા તાલુકા તરફથી આપને અને આપના સહપરિવાર સાથે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ગુ.રા.યોગ કોચ કંચન એમ.સારેસા (9558926180), ગુ.રા.યોગ ટ્રેનર ડિમ્પલ એન. સારેસા (9687442735)નો સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text