રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ધૂમ્રપાન વિરોધી સંરક્ષા અભિયાન   

- text


ઝુંબેશમાં 167 વ્યક્તિઓ પાસેથી 6500 રૂપિયા દંડ વસૂલાયો

મોરબી : રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ધૂમ્રપાન વિરોધી સંરક્ષા અભિયાન કરવામાં આવ્યું છે.જેનો હેતુ મુસાફરોને સલામત અને બહેતર મુસાફરી આપવાનો છે.તેથી ધૂમ્રપાન કરતા લોકો પાસે થી દંડ વસુલવામાં આવ્યો હતો.

રાજકોટ રેલવે ડિવિઝન મુસાફરોને સલામત અને બહેતર મુસાફરી આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.આ ક્રમમાં રાજકોટ ડિવિઝન દ્વારા તા.25 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ સુધી એક સપ્તાહ માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી સંરક્ષા (સેફટી) ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે આ ધૂમ્રપાન વિરોધી સેફટી ઝુંબેશ દરમિયાન કુલ 167 વ્યક્તિઓ પકડાયા હતા અને તેમની પાસેથી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ(કોપ્ટા-2003) હેઠળ રૂ. 6500/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

- text

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જાહેર સ્થળોએ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા)-2003 હેઠળ સજાપાત્ર છે. મુસાફરોમાં આ અંગે જાગૃતી લાવવા માટે રેલવે સ્ટેશનો પર જાહેરાત પણ કરવામાં આવી રહી છે.રાજકોટ ડીવીઝન ના ડીઆરએમ અનિલ કુમાર જૈને મુસાફરોને રેલવે પરિસરમાં અને ટ્રેનમાં ધુમ્રપાન કરવાનું ટાળવા અને મુસાફરીને પોતાના તેમજ અન્ય મુસાફરો માટે સલામત બનાવવા અપીલ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text