વાંકાનેરના જોધપર પાસે રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત : એકનું મોત, પાંચને ઇજા

- text


 

વાંકાનેર : વાંકાનેરના જોધપર નજીક સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઈવે પર ગતરાત્રીના એક સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાનુભાઈ કરમશીભાઈ ભાલીયાનું મોત થયું હતું. જ્યારે રીક્ષામાં બેસેલ અન્ય હુસેનભાઇ અલાવદીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ અલાવદીભઈ વડાવીયા, અફઝલભાઈ અબ્દુલભાઈ વડાવીયા, ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયાને ઈજાઓ પહોંચતા વાંકાનેર અને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ એ.એસ.આઈ. ડી. એ. જાડેજા ચલાવી રહ્યા છે.

- text