મોરબીના માળીયા વનાળિયામાં યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ

- text


ખિસ્સા ખર્ચીના પૈસા ન આપતા હત્યા કરી નાખી હતી

મોરબી : મોરબીના સામાકાંઠે રામદેવનગર મેઇન રોડ સો-ઓરડી ખાતે રહેતા યુવાન પાસે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા શખ્સે ખિસ્સા ખર્ચીના પૈસા માગી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ હત્યાના બનાવમાં પોલીસે આજે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામદેવનગર મેઇન રોડ સો-ઓરડી ખાતે રહેતા પ્રદીપ વિનોદભાઇ મકવાણા નામના યુવાન પાસે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતો કેવલદાસ નટવરદાસ રાબડીયા છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખિસ્સા ખર્ચી માટે પૈસા માંગતો હતો પરંતુ પ્રદીપ કઈ કમાતો ન હોય પૈસા આપવાની ના પાડતા કેવલે તેના ઘરે બોલાવી માથાકૂટ કરી ગાળો આપતા પ્રદીપે ગાળો નહિ આપવાનું કહેતા ઉશ્કેરાયેલા કેવલે છરીના ઘા ઝીકી દીધા હતા.આથી રાજકોટમાં ટૂંકી સારવાર પ્રદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે મૃતક પ્રદીપના મોટાભાઈ સંદિપભાઇ વિનોદભાઇ મકવાણાની ફરિયાદના આધારે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા કેવલદાસ નટવરદાસ રાબડીયા સામે ગુન્હો નોંધી આ આરોપીને આજે ઝડપી લીધો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text