હળવદમાં આધેડની હત્યાના બનાવમાં પાડોશી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


ઘરમાં ઘુસી હત્યા કરી નાસી છૂટનાર આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાનીનગર ઢોળો તરીકે ઓળખાતા વિસ્તારમાં ગઈકાલે અપરણિત આધેડની હત્યા કરવાના બનાવમાં પડોશી વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.જો કે હત્યા અંગેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ વેગડવાવ રોડ ઉપર ભવાનીનગર ઢોળો વિસ્તારમાં રહેતા જેમાભાઈ રૂપાભાઈ નંદેસરિયા ઉ.55 નામના આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવતા આ મામલે મૃતકના પિતરાઈ ભાઈએ હળવદ પોલીસ મથકમાં પાડોશમાં રહેતા વનરાજભાઈ ચતુરભાઈ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં સાપકડા ગામે રહેતા મૃતક જેમાભાઈના કાકાના દીકરા પ્રવિણભાઈ બાલાભાઈ નંદેસરીયાએ જેમાભાઈના પાડોશમાં રહેતા વનરાજે કોઈ કારણોસર હત્યા નિપજાવી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આઈપીસી કલમ-૩૦૨, તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ વનરાજ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી હત્યા કરી નાસી છૂટેલા વનરાજને ઝડપી લઈ હત્યાના બનાવ પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text