તીથવા ગામમાં ‘માંનું ધામ’ ખાતે શરદપૂનમ નિમિત્તે ધજારોહણ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે માતંગી મોઢેશ્વરી માતૃસંસ્થાન (માંનું ધામ) ખાતે શરદપૂનમ નિમિત્તે ધજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તીથવા ગામમાં જડેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલા માંનું ધામ ખાતે તા. 20ને બુધવારના રોજ શરદપૂનમ નિમીતે મંદિરે ધજા રોહણ ભુતપુર્વ દ્રસ્ટી સ્વ. શશીકાંતભાઈ કે. દવે (જામનગર)ના પરિવાર તરફથી કરવામાં આવશે. જેમાં સવારે 9 વાગ્યાથી ઘજાજીની પુજા, બપોરે 12-30થી 1 ક્લાકે સમુહ મહાઆરતી અને 1 કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ છે. મહાપ્રસાદના યજમાન મીનાક્ષીબેન શશીકાંતભાઈ દવે છે. વધુ વિગત માટે સંસ્થાના ચેરમેન ભદ્રેશભાઈ દવે મો. 78744 53470 નો સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text