માળીયા (મી.) તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

- text


લોકોને કોવિડ-19 વેક્સિન લેવા માટે આહવાન

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોવિડ-19 રસીકરણ બાબત આહવાન કરવામાં આવ્યું હતું.

આજે તા. 9ના રોજ તાલુકા પંચાયત કચેરી માળીયા (મી.)ના સભાખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ રમેશભાઇ સવજીભાઇ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલ અને આ બેઠકનું સંચાલન આર. એ. કોંઢીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ હતું.

- text

આ બેઠકમાં માળીયા (મી.) તાલુકામાં વિવિધ યોજના હેઠળના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી તેમજ હાલે કોવિડ-19 રસીકરણ બાબતે તાલુકા પંચાયતના તમામ સદસ્યોની રસીકરણ ઝુંબેશમા પોતાના મતવિસ્તારમાં વઘુમાં વધુ રસીકરણ થાય તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવા સુચન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે નાયબ કલેકટર હરદીપ આચાર્ય દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમ તાલુકા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text