પ્રેમિકાના અન્યત્ર લગ્ન થઈ જવાથી નાસીપાસ પ્રેમીનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબીના રંગપર નજીક આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકાના અન્યત્ર લગ્ન થઈ જવાથી નાસીપાસ થઈ પ્રેમીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લીવેન્જા સીરામીકના લેબર કવાટર નંબર-૬૩ રહીને મજૂરી કામ કરતા આસમકુમાર અરૂણકુમાર સિંહ યાદવ (ઉ.વ-૧૮) નામના યુવાને ગઈકાલે તા.૨૮ ના રોજ પોતાના કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી, તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- text

આ બનાવ અંગે તાલુકા પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની તેની બહેન બેબીદેવીની નંણદ સાથે પ્રેમસબંધ હોય અને તેના લગ્ન ગઇ તા-૨૪ જૂનના રોજ થઇ જતા મૃતકની મનોમન લાગી આવતા રંગપર ગામની સીમમા આવેલ લીવેન્ઝા સીરામીકના કારખાનાના લેબર કવાટરની ઓરડી નંબર-૬૩ મા પોતાની જાતે ગળેફાસો ખાઈ જીવ દઈ દીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ એ.એસ.આઈ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- text