- text
વાંકાનેર : વાંકાનેરમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
- text
વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા વિનોદભાઇ વજેરામભાઇ દાદલ (ઉ.વ. ૪૫)એ બીમારીથી કંટાળી ગઈકાલે તા. 1ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text