- text
મોરબી : મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા નાની વાવડી ગામે રહેતા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.
- text
મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા 32 વર્ષીય અશોકભાઇ જગદીશભાઈ ગોસ્વામી ગઈકાલે તા. 28ના રોજ મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text