વાંકાનેરના પોલ્ટ્રી ફાર્મમાં વેકસીન આપવા આવેલા કર્મચારીનું ચક્કર આવતા મોત

- text


કેરાળા ગામે રસીકરણ સમયે ઢળી પડ્યા

વાંકાનેર : વાંકાનેરના કેરાળા ગામે પોલ્ટ્રીફાર્મમાં વેકસીનેશન માટે રાજકોટથી આવેલા સરકારી કર્મચારીનું ચક્કર આવતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે આવેલ પાયલ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના રસીકરણ માટે રાજકોટથી આવેલા બી.એલ.પરમાર નામના કર્મચારીને વેકસીનેશન સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા અને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે મરણ ગયાનું જાહેર કરેલ છે, આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- text