સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ કોટકનું નિધન : આવતીકાલે સોમવારે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


સ્વ.સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ કોટકના આત્માની શાંતિ માટે શોકસભા

મોરબી : મોરબીના સિનિયર એડવોકેટ પૂનમચંદભાઈ કોટકનું નિધન થતા આવતીકાલે સોમવારે મોરબી કોર્ટમાં બાર રૂમ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા શોકસભાનું આયોજન કરાયું છે અને તમામ વકીલો એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.

- text

મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાના જણાવ્યા મુજબ સીનીયર એડવોકેટ સ્વ. પૂનમચંદભાઈ કોટકનું દુ:ખદ અવસાન થયેલ છે જે બદલ તેમની આત્મા ની શાંતિ માટે તા.૧૫ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે મોરબી બાર એસોસિએશન રૂમ ખાતે શોકસભા રાખવામાં આવી છે. તેમજ તા. ૧૫ના રોજ એક દિવસ માટે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેવુ ઠરાવવા આવેલ છે.

 

- text