હળવદના ગણેશપુર ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

- text


અજાણ્યા શખ્સોએ તળાવમાં ઝેરી પદાર્થ નાખ્યાનો સરપંચનો આક્ષેપ

હળવદ : હળવદ તાલુકાના ગણેશપુર ગામે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના ટપોટપ મોત નિપજતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, જો કે ગામના સરપંચે ચોંકાવનારો આક્ષેપ કરી અજાણ્યા શખ્સો દ્વારા તળાવમાં ઝેરી પદાર્થ નાખવામાં આવતા માછલીના મોત થયાનું જણાવતા સંબંધિત સરકારી અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગણેશપુર ગામે આવેલ તળાવમાં અસંખ્ય માછલીઓના ટપોટપ મોત નિપજતા નાના એવા ગામમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. બીજી તરફ ગામના સરપંચે કોઈ અજાણ્યા શખ્સોએ તળાવમાં ઝેરી પદાર્થ નાખતા માછલીઓના મોત નિપજ્યાનો આરોપ લગાવતા આ મામલે તપાસ માટે હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ ગણેશપુર ગામે દોડી આવી હતી.

ગણેશપુર ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અને મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા હોવાથી તળાવની આજુબાજુના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text