મધ્યપ્રદેશથી સગીરાને ભગાડી મોરબીમાં રહેતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મધ્યપ્રદેશ રાજયના ઉજ્જૈન જિલ્લાના નાનાખેડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી ભોગ બનનાર સગીરા સાથે મોરબી નજીકના એક સિરામિક કારખાનામાં રહેતો હોવાની બાતમીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી દ્વારા આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લામાંથી તેમજ અન્ય રાજયમાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા મળેલી સુચનાને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પીઆઇ વી.બી.જાડેજાએ સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપતા પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ.નંદલાલ વરમોરાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મધ્યપ્રદેશ રાજયના ઉજ્જૈન જિલ્લાના નાનાખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૫૩૪૨૦૨૦ આઈ, પી.સી.ક. ૩૬૩, મુજબના ગુન્હાનો આરોપી ભોગબનનારને ભગાડી અપહરણ કરી મોરબી-હળવદ રોડ તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સરજુ સીરામીકમાં રહેતો હોવાની સચોટ બાતમી મળી હતી.

- text

બાતમીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનીટ મોરબીના એ.એસ.આઇ. હીરાભાઇ,મનજીભાઇ ચાવડા સાથે ટીમ બનાવી તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સરજુ સીરામીકમાં તપાસ કરતા આરોપી તેજુ લાખનસીંગ નાયક ઉ.વ. ૨૮ રહે. સેવરખેડી તા. જી. ઉજજૈન (એમ.પી.) વાળો તથા ભોગબનનાર મળી આવતા બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે નાનાખેડા પોલીસ સ્ટેશનની ટીમને સોપવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સફળ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, ASI હીરાભાઇ ચાવડા, રજનિકાંત કૈલા, HC દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા વગેરેએ કરી હતી.

- text