ટંકારા : સંતાન ન થવાથી યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

- text


ટંકારા : ટંકારાના વિરવાવ ગામે સંતાન ન થવાથી વ્યથિત યુવાનનો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વિરવાવ ગામે રહેતા અશ્વીનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મૃતક અશ્વીનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના લગ્ન ને ઘણો સમય થઇ ગયેલ હોય અને સંતાનમા કાઇ ન હોય જેથી વ્યથીત રહેતા હોય અને ગઇ તા.૨૧/૧૨/૨૦૨૦ ના આશરે છ એક વાગ્યે પોતાના ઘરે પોતે પોતાની મેળે ચણામા નાખવાની ઝરી જંતુનાશક દવા પી લેતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text