મોરબી : છનીયારા પરિવારે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરી પુત્રીના જન્મદિવસની ઉજવણી કરી

- text


 

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે. આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા દર વર્ષે તુલસીના જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમ, બલ્ડ કેમ્પ, ગરીબ બાળકોને જમાડવાનું આયોજન કરવામાં આવે છે.

- text