મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા કુલીનગર-2માં રહેતા અમીરહુશૈન અલીમહંમદ ભટ્ટી (ઉ.વ.19) નામના યુવાને ગઈકાલે તા.12 ના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text