- text
મોરબી : મોરબીના સામાંકાંઠે સામાન્ય બાબતમાં યુવાનને એક શખ્સે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા બી ડિવિજન પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી-૨ ત્રાજપર ખારીમાં રહેતા નવઘણભાઇ માત્રાભાઇ ગોલતર (ઉ.વ. ૪૮) એ આરોપી વિનોદભાઇ ખોડાભાઇ દેકાવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૪ ના રોજ ત્રાજપર ચોકડી પાસે શીવ અજંતા હોટલ પાસે આરોપી તથા ફરીયાદી જમવા જતા હતા. ત્યારે વાત-વાતમાં બન્ને વચ્ચે બોલાચાલી થયેલ અને આરોપી ફરીયાદીને ગાળો દેવા લાગેલ જેથી ફરીયાદીએ ગોળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને ઢીકા પટુનો મારી પડી દઇ બાજુમાં પડલ પથ્થર ઉપાડી માથામાં તથા કપાળમાં તથા નેણ ઉપર ઇજાઓ પહોચાડી હતી. આ બનાવની ફરિયાદના પગલે બી ડિવિજન પોલીસે આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text