માળીયા (મી.) : સાપરાધ મનુષ્ય વધના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સાપરાધ મનુષ્ય વધના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 24ના રોજ મોરબી એસ.ઓ.જી.ને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી પરબજીતસીગ ઉર્ફે તારાસીંગ જાટ (ઉ.વ. 30, ધંધો હોટલ રહે. બુર્જ પુલ્લા, જી. તરનતાર, રાજ્ય પંજાબ)ને સુરેન્દ્રનગર જીલ્લાના, સાયલા તાલુકાના, ડોળીયા બાઉન્ડ્રી નજીક, જુગરાજ પંજાબી હોટલ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. SOGએ આરોપીને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text