હળવદની ત્રણ વર્ષથી ગુમશુદા પરિણીતાને અમદાવાદમાંથી શોધી કાઢતી મોરબી પોલીસ

- text


મોરબી : નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ વર્ષ પહેલા ગુમ થનાર મનોજભાઇ ડાયાભાઇના પત્ની છાયાબેનને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી પોલીસને મનોજભાઇ ડાયાભાઇ સોલંકીના પત્ની ગુમશુદા છાયાબેન (ઉ.વ. 22, રહે. ઢવાણા, તા. હળવદ) મોરૈયા ગામમાં કેશરસીટી સોસાયટી (તા. સાણંદ, જી. અમદાવાદ) ખાતે હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે આજે તા. 18ના રોજ તે જગ્યાએ તપાસ કરતા છાયાબેન મળી આવેલ છે. જેથી, તેઓને હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપી તેમના પરીવારને સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text