મોરબી આરટીઓ નજીક આવેલો પુલ સમારકામ માટે આજથી 30 ઓગસ્ટ સુધી બંધ કરાયો

- text


મોરબી : મોરબી આરટીઓ પાસે આવેલો મચ્છુ નદી પરનો બાયપાસ પુલ સમારકામ માટે આજે તારીખ 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી જાહેર પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે.

મોરબી આરટીઓ નજીક આવેલ બાયપાસ પુલ પર મસમોટા ગાબડાં પડી જવાથી પુલ રીપેરીંગની કાર્યવાહી જરૂરી બની હતી. આથી ગત તારીખ 24થી ચાર દિવસ પુલ સમારકામ માટે બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આ પાંચ દિવસ દરમ્યાન વૈકલ્પિક ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જો કે પાછલા દિવસોમાં પડેલા સતત વરસાદને કારણે ગત 24 તારીખથી પુલનું રીપેરીંગ કામ શક્ય નહીં બનતા આજે તારીખ 26થી પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હોય આ પુલ જાહેર પરિવહન માટે તારીખ 30 ઓગસ્ટ સુધી બંધ રહેશે એવું માર્ગ અને મકાન વિભાગના હિતેષભાઇ આદ્રોજાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંધ રસ્તાના વૈક્લ્પિક રસ્તા તરીકે મોરબીથી કચ્છ જવા માટે પીપળીયા ચાર રસ્તા થઇ માળીયાથી જવાય છે.

- text