માળીયાના મહેન્દ્રગઢ ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત સસરિયાઓ સામે ફરિયાદ

- text


પતિ સહિતના સસરિયાઓ સામે પરિણીતાને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો

માળીયા : માળીયાના મહેન્દ્રગઢ ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત સસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મૃતક પરિણીતાના પિયર પક્ષની ફરિયાદ પરથી પતિ સહિતના સસરિયાઓ સામે પરિણીતાને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા.પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના મહેન્દ્રગઢ ગામે રહેતી આશાબેન શરદંભાઈ ઠોરીયા (ઉ.વ.૨૪) એ ગત તા.૨૧ના રોજ ઝેરી દવા પીને આપધાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઈ નિતીનભાઈ દામજીભાઈ ગડારાએ આરોપી મૃતકના પતિ શરદભાઈ હર્ષદભાઈ ઠોરીયા તથા રમેશભાઈ અમરશીભાઈ ઠોરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીની બહેન આશાબેનને તેના પતિએ ઘરના કામકાજ બાબતે બોલાચાલી કરી મારકુટ કરી શારિરીક માનસિક ત્રાસ આપી તેમજ આરોપી પતિ અને બીજા આરોપી કાકા સસરાએ ફરીયાદીની બહેન આશાબેનને રક્ષાબધનના તહેવારમા તેના માવતરના ઘરે જવાની ના પાડી માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા પરિણીતાથી ત્રાસ સહન ન થતા પોતાની મેળે ઝેરી દવા પી જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text