વાંકાનેરના ચંદ્રપુર ગામે ટ્રકના ક્લીનરની નિર્મમ હત્યા

- text


કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે ક્લીનરની હત્યા કરી નાખી
લાશને ત્યાં મૂકીને ડ્રાઇવર ફરાર : વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાના કહેર વચ્ચે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વાંકાનેરના ચંદ્રપુર ગામે આજે ટ્રકના ક્લીનરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની તપાસમાં કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ચાલકે ક્લીનરની હત્યા કરીને તેની લાશ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોમીનશાહ બાવાની દરગાહ પાસે એક ટ્રકની ક્લીનરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ GJ-1-DV-1472 નબરના સુરેન્દ્રનગરના માલિકના ટ્રકને લઈને ડ્રાઇવર અને ક્લીનર વાંકાનેરના ચંદ્રપુર ગામે આવ્યા હતા. જ્યાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આથી, ઉશ્કેરાયેલા ટ્રકચાલકે ક્લીનરને માથામાં ટામીનો ઘા મારીને હત્યા કરી નાખી હતી.

ગંભીર ઇજા થવાથી ક્લીનરનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બાદમાં ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. જોકે મૃતક ક્લીનર સંતોષ નામ ધારક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપી ટ્રકચાલકનું નામ હારુનભાઈ હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસે આ ટ્રકના સુરેન્દ્રનગર રહેતા માલિકને બોલાવ્યો છે. આ ટ્રક માલિક આવ્યા બાદ આ હત્યાના બનાવની વધુ વિગતો બહાર આવશે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text