વવાણીયા ગામે જ્ઞાન મંદિરમાં અદ્યતન સંકુલનું સીએમ રૂપાણીના હસ્તે ઓનલાઈન ખાતમુહર્ત

- text


વવાણીયા ખાતે જ્ઞાન મંદિરમા અધતન સંકુલનું રૂ. 6.26 કરોડના ખર્ચે નિર્માણ થશે

માળીયા : માળીયા મિયાણાના વવાણીયા ગામે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જ્ઞાન મંદિરમાં અદ્યતન સંકુલનું ઓનલાઈન ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ વવાણીયા ખાતે જ્ઞાન મંદિરમા અધતન સંકુલનું રૂ.6.26 કરોડના ખર્ચે નિર્માણ થશે.આ ખાતમુહર્ત પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રજીની જન્મભૂમિ માળિયાના વવાણીયા ખાતે જ્ઞાન મંદિરમા અધતન સંકુલ 6.26 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. તેનું ઈ – ખાતમુહર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબએ કર્યું હતું. આ પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર, ડી.ડી.ઓ, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી દિલુભા જાડેજા, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા, જીલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, ભાજપ અગ્રણી ચંદુભાઈ હુંબલ, જીજ્ઞેશભાઈ કૈલા, બાબુભાઇ હુંબલ, વવાણીયા ગામના સરપંચ અશ્વીનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text