મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ફોર્મ વિતરણ શરૂ

- text


મોરબી : પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા ગ્રાંટ ઈન એઈડ તેમજ સરકારી શાળા-કોલેજોમા અભ્યાસ કરતા ધો. ૫થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ અર્પણ કરવાનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી ખાતે સવારે ૧૦ થી ૧૨ તેમજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન શિષ્યવૃતિ ફોર્મ વિતરણ શરૂ કરવામા આવેલ છે. શિષ્યવૃતિ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી ભાઈઓ-બહેનો એ તા.૨૫-૭-૨૦૨૦ સુધીમા શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાળી શેરી ખાતે ફોર્મ જમા કરાવવાનુ રહેશે, તેમ લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તથા કન્વીનર નિર્મિત કક્કડે સંયુક્ત યાદીમા જણાવ્યુ છે.

- text