ખ્વાઝા મોહ્યુનુદીન વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ ખાનગી ન્યૂઝ ચેનલની વિરુદ્ધમાં આવેદન અપાયું

- text


મોરબી : એક ખાનગી ન્યુઝ ચેનલ વિરૂદ્ધમાં મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ચેનલ દ્વારા સમાજમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરી દેશની એકતા અને અખંડીતતા તોડવાના ઈરાદે ખ્વાઝા મોહ્યુનુદીન ચિશ્તી ર. અ. વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ સુન્ની મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાયેલ હોવાથી અને દેશની એકતા અને અખંડીતતાને નુકશાન પહોચે તેવું કૃત્ય કરવા બદલ તેમની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

- text