લાલપર નજીક નર્મદા કેનાલમાં ઠલવાતું કેમિકલયુક્ત પાણી

- text


મોરબી : મોરબી નજીકથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં સીરામીક એકમો ઘણી વખત ચોરીછુપીથી કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠાલવી દેતા હોવાની રાવ ઉઠી છે.

- text

તાજેતરમાં લાલપર નજીકથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં કોઈ સીરામીક યુનિટ દ્વારા કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠાલવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બહુ ચોંકાવનારી બાબત છે. કેમકે આ કેમિકલ યુક્ત પાણી ખેતરમાં ફળદ્રુપ જમીંનને ખુબ જ મોટું નુકશાન કરે છે. ત્યારે નર્મદા કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવતા શખ્સો સામે લોકરોષ જોવા મળી રહ્યો છે.

- text