ટંકારા પાન – માવાની એજન્સીઓ ખુલ્લી : બેથી ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શકયતા

- text


મામલતદાર તંત્ર દ્વારા ગોડાઉન અને હોલસેલરોની દુકાનો ઉપર કરી તપાસ

ટંકારા : ટંકારામાં પાન-માવાની દુકાનો ખુલી ગઈ છે. બીજી બાજુ મામલતદાર તંત્ર દ્વારા ગોડાઉન અને હોલસેલરોની દુકાન ઉપર તપાસ પણ કરવામાં આવી હતી. જેથી હવે બેથી ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જવાની શક્યતા જોવા મળી રહી છે.

- text

મામલતદાર તંત્ર દ્વારા હોલસેલરો અને ગોડાઉનોમાંજે જથ્થો ઉપલબ્ધ છે તેનુ વિતરણ સહીતની વિગતો મેળવી હતી. અત્યાર સુધી છુટકારો મળ્યો હોવા છતા વેપારી દુકાનો બંધ રાખતા બંધાણી બમણા ભાવે તલપ બુઝાવતા હતા. જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા રસ દાખવવામાં આવ્યો છે. હાલ બેથી ત્રણ દિવસ બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે તેવું લાગી રહ્યું છે. અને વેપારીઓને માલનો સંગ્રહ ન કરવા મામલતદારે સૂચના આપી છે. મામલતદાર આર આર પાદરીયાની સુચના ને પગલે સર્કલ બુસાભાઈ અને રેવન્યુ ક્લાર્ક રમેશભાઈ સોલંકીએ વિઝિટની કામગીરી કરી હતી. અને ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે.

- text