માળિયાના ખીરસરામાં બે નીલગાયનો શિકાર : શિકારીઓએ એક નીલગાયના કટકા કરી બાચકામાં ભર્યા!!

- text


 

શિકારી ગેંગે ફાયરિંગ કર્યાની ઘટના સાચી નીકળી : પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા

માળિયા : માળિયાના ખીરસરા ગામે બે નિલગાયોનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક નીલગાયના તો કટકા કરીને તેને બાચકામાં ભરેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. હાલ આ મામલે વન વિભાગે તપાસ આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના ખીરસરા ગામે શિકારી ગેંગે ફાયરિંગ કર્યાની ચર્ચા ઉઠી હતી. આ મામલે માળિયા પોલીસે આવો કોઈ બનાવ સામે ન આવ્યો હોવાનું રટણ કર્યું હતું. જો કે આ બનાવ હકકિતમાં બન્યો હોવાનું આજે સત્તાવાર રીતે જાહેર થયું છે. જેમાં સિમ વિસ્તારમાંથી એક મૃત હાલતમાં નીલગાય મળી આવી છે. જ્યારે બીજી નિલગાયના કટકા બાચકામા ભરેલી હાલતમાં મળી આવ્યા છે.

- text

આ અંગે જાણ થતાં વેંત વન વિભાગે બન્ને નિલગાયોના મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા. જેમાં એક નિલગાયના શરીરમાંથી દેશી બંદૂકનો છરો નીકળ્યો હોય શિકારીઓએ દેશી બંદૂકની મદદથી શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે ઇન્ચાર્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. કુંડારિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગે સઘન તપાસ આદરી છે.

- text