મોરબીના રામધન આશ્રમમાં શનિ જયંતી નિમિત્તે હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન તથા યજ્ઞ થશે

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં આજે શનિ જયંતી નિમિત્તે હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન તથા યજ્ઞ કરવામાં આવશે. તેમજ આ ધાર્મિક કાર્યો દ્વારા કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી માનવમાત્રને માર્ગ મળે અને કોરોનાનું સંકટ દૂર થાય તેવી શનિદેવને પ્રાર્થના કરવામાં આવશે.

- text