મોરબીમાં કપાસના સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં ખેડૂતો માટે રજિસ્ટ્રેશનનો સમય વધારાયો

- text


સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 સુધી ખેડૂતો મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે

મોરબી : મોરબી જિલ્લામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. પણ ટંકારામાં એક જ કપાસની ખરીદીનું કેન્દ્ર હોવાથી મોરબી માળીયા તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવામાં હાલાકી પડતી હોય મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા, સાંસદ મોહન કુંડારીયા સહિતના અગ્રણીઓએ મોરબી અને માળીયા વચ્ચે કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ કરી હતી. જેના પગલે મોરબી માળીયા વચ્ચે સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. હવે આ કેન્દ્રમાં રજિસ્ટ્રેશન માટે ખેડૂતોને અગળવતા ન પડે તે માટે સમય વધારાયો છે. જેમાં સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 સુધી ખેડૂતો મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે.

- text

મોરબી નજીક આવેલ અને માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનીગ મીલમાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્રને કાર્યરત કરવામાં આવ્યું છે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. હાલના તબક્કે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે 98795 30240, 98252 22683 અને 90990 58890 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે. જોકે લોકડાઉનને લઈને રૂબરૂ રેજીસ્ટ્રેશન કરાશે નહિ અને માત્ર આ મોબાઈલ ઉપર રજીસ્ટ્રેશન થઈ શકશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે અને વેપારીઓ ખોટો ગેરલાભ ન ઉઠાવે તે માટે આ રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે અને નોંધણી થયેલા ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવાશે. જોકે અગાઉ ખેડૂતોના રજિસ્ટ્રેશન માટે સવારે 9 થી 1 નો સમય હતો. પણ મોરબી અને માળીયામાં આશરે 15 હજાર જેટલા ખેડૂતો ના ઘરમાં કપાસ પડ્યો છે. આથી, ખેડૂતોના વધુ ઘસારને લઈને મોબાઈલ રજિસ્ટ્રેશનમાં સમય ટૂંકો પડતો હોય સમય વધારવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતો સવારે 9 થી 1 દરમિયાનની સાથેસાથે બપોરે 3 થી 6 સુધી પણ મોબાઈલ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

- text