મોરબીમાં ફરજ બજાવી ચૂકેલા IPS અક્ષયરાજ મકવાણાએ સેવાકાર્ય થકી જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી : મોરબી જીલ્લામાં ASP તરીકે ફરજ બજાવી ચૂકેલા હોનહાર IPS અક્ષયરાજ મકવાણાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ સાથે આજે તેમની લગ્ન વર્ષગાંઠ પણ છે. ત્યારે તેઓએ પોતાના હાલનાં ફરજ સ્થળ પાટણમાં કોરોનાના સમયે લોકોને અનાજની કીટ અને ગરીબોને કપડાં તેમજ પગમાં પહેરવાના ચપલનું દાન કર્યું હતું. સાથે જ વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓને જમાડી તેમની સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

મોરબી જીલ્લામા અગાવ ઈન્ચાર્જ એસપી અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ પાટણ એસપી તરીકે ફરજ બજાવી રહેલા અક્ષયરાજ મકવાણાનો આજે જન્મદિવસ છે. આજે જન્મ દિવસ નિમિત્તે પરિવારજનો અને મિત્રવર્તુળોમાંથી તેઓ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેઓને વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓ સાથે પ્રેરક ઉજવણી કરવી અત્યંત ગમે છે.

IPS અક્ષયરાજ મકવાણા આજના યુવાનનો માટે પ્રેરણારૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણાના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. જ્યારે માતૃશ્રી કમલાબહેન ગૃહીણી છે અને બે બહેનો વચ્ચેના એક લાડકા ભાઈ અક્ષયરાજ છે. તેઓએ પોતાના જીવનના શિક્ષણની શરૂઆત રાજકોટ ખાતેની સેન્ટ મેરી સ્કુલથી કરી હતી. ભણવામા અત્યંત તજજ્ઞ અને સ્વભાવમા અત્યંત પ્રભાવશાળી કોમળ તેમજ સ્પષ્ટ વક્તા એવા અક્ષયરાજ જોતજોતામા સાયન્સ પ્રવાહમા સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સીટીમા ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ તેમજ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમા માસ્ટર ડીગ્રી સાથે પાવર સીસ્ટમમાં એન્જીનીયરીંગ પુર્ણ કર્યુ હતુ.

- text

બંન્ને ડીગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા બાદ તેના મુળ વતન રાજકોટ માં જ ગવર્મેન્ટ પોલીટેકનીક કૉલેજમા લેકચરર તરીકે પ્રશંશનીય નોકરી કરતાની સાથે વૃધ્ધો, અનાથ બાળકોને પણ તેઓ સમય આપી અને જરૂરીયાતો પુરી પાડી માનવતા મહેકાવતા હતા. આ બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સીવીલ સર્વીસની પરિક્ષા વર્ષ ૨૦૧૩મા પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા હતા. બાદમા તેઓની ટ્રેનીંગ પુરી થતા 22 ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યુ હતુ. બાદમાં મોરબી, દીયોદર, રાજપીપળામાં સારી કામગીરીને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એએસપી તરીકે મુક્યા હતા. જેમા દીયોદરમા એએસપી દરમ્યાનની તેમની કામગીરી પણ કાબીલેદાદ હતી.

બનાસકાંઠામાં આવેલ વિનાશકારી પુરની અત્યંત વિકટ પરિસ્થીતીઓમાં તે દીયોદર જીલ્લામાં એએસપી તરીકે મહત્વની ભુમીકામાં હતા. આ સમયગાળામાં પણ તેઓએ અનેક રેસક્યુ ઓપરેશન હાથ ધરી અસંખ્ય લોકોના જીવ બચાવ્યા હતા. આ ઉપરાંત, દિયોદરના દાતા તાલુકામાંથી બે આદીવાસી બાળકીઓને શીહોરીમાં વેચી નાખવામા આવેલ હતી. તે બંન્ને બાળકીઓને ચોવીસ કલાકમાં શોધી તેની માતાને સોંપી માનવતાનુ ઉત્તમ ઉદાહણ પુરૂ પાડી પોલીસ વન ઓફ રીયલ હીરોના કથનને સત્ય સાબીત કર્યુ હતુ.

આજે મોરબી જીલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અને બાદમાં અમદાવાદમાં ડીસીપી તરીકે ત્યારબાદ હાલ પાટણ એસપી તરીકે ફરજ બજાવી રહેલા આઈપીએસ એવા અક્ષયરાજ મકવાણાના જન્મદિવસની સાથે તેના લગ્નની વર્ષગાંઠ પણ છે. આજના દિવસે તેણે સ્વાતીબહેન સાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા અને આજે તેઓ રેણુ અને જીલ નામની બે પરીઓના પિતા પણ છે. આજનો દિવસ તેના માટે જન્મદિવસ અને દામ્પત્ય જીવનની શરૂઆત બંન્ને હોવાથી આજે અક્ષયરાજ મકવાણાને પોતાના પરિવારજનો અને મિત્ર વર્તુળોમાંથી શુભચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જો કે અક્ષયરાજ મકવાણાનુ જીવન યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી છે. હાલ તેઓ મોરબીથી અમદાવાદ ટ્રાફીક ડીસીપી અને બાદમાં ઝોન ડીસીપી તરીકે પોતાની સેવા આપી હતી. જો કે તેઓની પ્રસંશનીય કામગીરીને ધ્યાને લઈને તેઓને પાટણ એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે અને હાલ અક્ષયરાજ મકવાણા પાટણ જીલ્લા પોલીસવડા તરીકે કોરોનામાં સરાહનીય ફરજ બજાવી રહ્યા છે. જો કે મોરબીવાસીઓ અક્ષયરાજ મકવાણાને હજુ પણ દિલથી યાદ કરે છે.

- text