ટંકારામાં વેપારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપતા પીએસઆઈ એલ.બી. બગડા

- text


સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવા અનુરોધ : શહેરી બેરીકેટ આજથી ખુલી જશે

ટંકારા : ટંકારાના મહીલા ફોજદાર એલ.બી.બગડાની અધ્યક્ષતામાં ટંકારા વેપારી મંડળ સાથે લોકડાઉન 4 અંગેના જાહેરનામા અંગે વિસ્તૃત ચર્ચા અને માહિતી માટે પાંજરાપોળ ટંકારા ખાતે મિટીંગનુ આયોજન કરાયું હતું જેમાં નાના મોટા વેપારીના પશ્ર્નો, શહેરની મુખ્ય બજાર પરના બેરીકેટ અને વાહન વ્યવહાર માટે ચર્ચા વિચારણા કરાઈ હતી તદ્ઉપરાંત જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામા આવેલા નિયમનુ ચુસ્તપણે પાલન કરાવવા અને તંત્રને સહયોગ આપવાની વેપારીઓને અપિલ કરવામાં આવી હતી.અંતમા મહિલા પીએસઆઈએ પાંજરાપોળ ખાતે અબોલજીવને તેની દેખભાળ અંગે માહિતી મેળવી ખોળ ખવડાવયો હતો.

- text