નાની વાવડીના યુવકો દ્વારા વ્યસનમુક્તિની રકમમાંથી ગરીબોને ભોજનની સેવા

- text


મોરબી : નાની વાવડી ગામમાં રહેતા ઘોડાસરા સતીશ, ઘોડાસરા ધર્મેન્દ્ર, ઘોડાસરા જીગ્નેશ, નિમાવત જયદીપ તથા ચારોલા રવિ દ્વારા લોકડાઉનમાં પાન-માવોનું વ્યસન મૂકી દેવામાં આવ્યું છે. તેમજ તેના લીધે જે રકમની બચત થાય તેમાંથી રોજ પછાત વિસ્તારમાં જઈ ગરીબોને પૌઆ-બટેટાનો જમાડવામાં આવે છે. આમ, નાની વાવડીના યુવકો દ્વારા વ્યસનમુક્તિની રકમમાંથી ગરીબોને ભોજનની સેવા કરી અનોખી પહેલ કરવામાં આવી છે.

- text