વાંકાનેર નગરપાલિકાની પહેલ : ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા શાકમાર્કેટમાં આવતા લોકોની તપાસ

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં સવારમાં સૌથી વધુ ભીડ ઉમટતી શાકમાર્કેટ માટે બે ઇન્ફ્રારેડ થર્મોમીટર વસાવવામાં આવેલ છે. જેના દ્વારા શાકમાર્કેટના બંને દરવાજા પર શાકમાર્કેટમાં પ્રવેશતા લોકોને આ ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા ચેક કરવામાં આવે છે. જેથી જાણી શકાય કે લોકોનું તાપમાન વધુ તો નથી ને! જો વધુ તાપમાન જોવા મળે તો તેઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે કે તેઓને કોરોનાના કોઈ લક્ષણો તો નથી ને? અને ડોક્ટરની મુલાકાત લઇ સલાહ લેવાની જાણ કરવામાં આવી રહ્યું છે.

- text

વાંકાનેર નગરપાલિકા દ્વારા ગત તારીખ ૨૬/૦૩ થી શાકમાર્કેટના પ્રવેશતા બંને દરવાજા પર એક એક લોકોને ઉભા રાખવામાં આવેલ છે. જેઓ માર્કેટની મુલાકાત લેતા મુલાકાતીઓને સેનેટરથી સાફ કરાવ્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલના તબક્કે વાંકાનેર નગરપાલિકા ને બે ઇન્ફ્રારેડ થર્મોમીટર મળેલ હોય તેનો ઉપયોગ શાક માર્કેટ માટે કરવામાં આવી રહ્યો છે. હજુ ચાર-પાંચ દિવસમાં વધુ ૧૦ ઇન્ફ્રારેડ થર્મોમીટર વસાવવામાં આવશે અને તેનો ઉપયોગ વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોના ઘરે-ઘરે જઈ ચેક કરવામાં આવશે જેથી જાણી શકાય કે વાંકાનેર નગરપાલિકા વિસ્તાર કોરોના વાયરસથી સંપૂર્ણ સુરક્ષિત છે.

- text