મોરબી સબજેલમાં દવાનો છંટકાવ તથા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું

- text


મોરબી : ગઈકાલે તા.૨૪/૦૩/૨૦૨૦ના રોજ મોરબી સબ જેલ ખાતે નગરપાલીકા મોરબીના ચીફ ઓફિસર કલ્પેશભાઇ ભટ્ટ દ્રારા તથા અત્રેની જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સાવચેતીના ભાગરૂપે જેલની અંદર તથા કંપાઉન્ડ, સ્ટાફ ક્વાટરમાં ફાયર ફાઇટર મશીનથી ૧% હાઇપોકલોરાઇટ સોલ્યુશન દવાનો છંટકાવ કરવામાં આવેલ છે.

- text

આ ઉપરાંત, સબ જેલ ખાતે તમામ કર્મચારી/અધિકારીઓ તેમજ બંદિવાન ભાઇઓ/બહેનોને સરકારી આયુર્વેદ દવાખાનું અને જનરલ હોસ્પિટલ મોરબીના ડો. કમલેશભાઇ પનારા દ્રારા નોવેલ કોરોના વાયરસ (COVID-19) નિવારવા માટે હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

- text