ટંકારા તાલુકામાં વિદેશથી આવેલા સાત લોકો હોમ ક્વોરોન્ટાઇન હેઠળ

- text


ક્વોરોન્ટાઇન હેઠળ રહેલા લોકોના ઘરની બહાર લાગ્યા સ્ટીકર : તમામમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાયા ન હોવાની આરોગ્ય તંત્રની જાહેરાત

ટંકારા : ટંકારામાં પણ કોરોના કહેર વચ્ચે સાત જેટલા લોકો વિદેશ ગમન બાદ માદરે વતન આવ્યા હોય તેઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે જોકે હજી સુધી એક પણ વ્યક્તિને આ વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.આ લોકોને દરરોજ હોમ પર મેડિકલ તપાસ કરાઈ રહ્યું છે સાથે સાથે આવા ઘરની બહાર ચોપાનિયું ચોંટાડી દીધુ છે.

આ લોકોમા ટંકારાના વ્યક્તિ મલેશિયા અને નેપાળ થી આવ્યા છે જ્યારે વિરપરના ત્રણ લોકો બધા ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને લજાઈના વ્યક્તિ આફ્રિકાથી આવ્યાનુ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. તદ્ઉપરાંત પ્રસાસન અને પોલીસ દ્વારા સદન પેટ્રોલીંગ કરી બિનજરૂરી બહાર નિકળવા અને જીવન જરૂરી ચીજવસ્તુ ની દુકાનો સિવાઈ બંધ રાખવા અપીલ કરી છે.

- text

- text