કોરોના ઇફેક્ટ : માળીયા (મી)માં તકેદારીના સઘન પગલાં લેવાયા

- text


માળીયા : રાજકોટના કોરોનાગ્રસ્ત યુવાન સાથે માળીયા મિયાણાના 9 લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હોવાનું ખુલતાં આ તમામ લોકોના આરોગ્યની સઘન તપાસ કરવામાં આવી હતી.આ ગંભીર બાબતને પગલે માળીયા મિયાણામાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તકેદારીના સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે.જેમાં માળીયા નગરપાલિકા ,પોલીસ મથક ,મામલતદાર કચેરીમાં માસ્ક સેનીટાઇઝર મુકવામાં આવ્યા છે .તેમજ માસ મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ રીતે કોરોનાને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને ખાસ સફાઈ ઝુંબેશ ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

- text