શકત-શનાળામાં અર્બન હેલ્થ સેન્ટર સ્થાપવા માંગ

- text


મોરબી : શકત-શનાળાના જાગૃત નાગરિક મનસુખભાઈ સુવારીયા દ્વારા મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને અર્બન હેલ્થ સેન્ટર સ્થાપવા માંગ કરતી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરબીના શકત-શનાળા ગામની વસ્તી આશરે 10,000 ઉપર હોવાથી અર્બન હેલ્થ સેન્ટરની જરૂરિયાત હોવાના કારણે અર્બન હેલ્થ સેન્ટર ચાલુ કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે. જેના માટે બિલ્ડીંગની જરૂરિયાત હોય તો ગ્રામ પંચાયતની માલિકોની રોડ ટચ જમીન ઉપયોગમાં લઇ શકાય છે. ગ્રામજનોને આરોગ્ય સુવિધા માટે અન્ય જગ્યાએ ધક્કા ના ખાવા પડે, તેથી અર્બન હેલ્થ સેન્ટર શરુ કરવા અપીલ કરવામાં આવી છે.

- text