- text
મોરબી : મોરબીમાં એક યુવકે આર્થિક સંકળામણના લીધે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
- text
મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરની તુલશીપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ કુંવરજીભાઇ જીવાણી (ઉ.વ ૪૫)એ આર્થિક સંકળામણના લીધે પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો. તેઓએ દવા પી લેતા પ્રથમ સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ લાવેલ હોય અને બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમા લઇ જતા ત્યા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.
- text