મોરબીમાં ટ્રેનની ઠોકરે ચડી ગયેલા યુવકનુ સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલા રેલવે ટ્રેક પર ગત તારીખ 6ના રોજ ટ્રેનની ઠોકરે ચડેલા યુવકનુ અમદાવાદ ખાતે લાંબી સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ મોરબીના ભડીયાદ કાંટા નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતા મનોજભાઈ સતિષભાઈ મોહલીયા (ઉં.વ. 22 રહે. ભડીયાદ કાંટા નજીક ) નામનો યુવક ટ્રેનની ઠોકરે ચડી જતા ગંભીર હાલતમા પ્રથમ મોરબી ત્યાર બાદ રાજકોટ અને બાદમા અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા સારવાર કારગત ન નિવડતા ગઈ કાલે તેનુ મોત નીપજ્યુ હતુ. જુવાનજોધ પુત્રના અવસાનથી પરિવારમા શોક વ્યાપી ગયો છે. બનાવ સંદર્ભે CRPC કલમ 174 મુજબ અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી હેડ.કોન્સ. એફ.આઈ.સુમરાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text