મોરબીમાં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર નિમિતે લોકડાયરાનું આયોજન

- text


મોરબી : વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા મોરબી જિલ્લા આયોજીત સમૂહ જનોઈ સંસ્કાર નિમિતે તા. 25 ફેબ્રુઆરીના રાત્રે 9 કલાકે બાલાજી પાર્ક, ટીંબડી ધરમપુર ગામ ખાતે રઘુનંદન સ્ટુડિયો તેમજ નીલમ સાઉન્ડ સથવારે ભજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં અશોકભાઈ ભાયાણી તેમજ કોકિલ કંઠી સોનલબેન વ્યાસ સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. જેમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text