મોરબીમાં PM કિસાન સમ્માન નિધિ યોજનાનાં લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાની ઝુંબેશ શરુ

- text


મોરબી : મોરબી જીલ્લાના પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના તમામ ખેડૂત ખાતેદાર લાભાર્થીઓ કે જેઓ પાક ધિરાણ જે બેંકમાં લે છે. તે બેંકનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ માટેનું બેંકમાં ફોર્મ ભરી શકાશે.

- text

ભારત સરકાર દ્વારા પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના તમામા લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ આપવા તા.૨૩/૦૨/૨૦૨૦ સુધી ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા તમામ બેંકો અને તમામ સંબધિત અધિકારીઓને મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનાં તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ કાઢી આપવા સૂચના આપી છે. પશુપાલકો અને માછીમારોને પણ નવા નિર્દેશ પ્રમાણે આ ઝુંબેશ હેઠળ કિસાન ક્રેડીટ કાર્ડ કાઢી આપવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની બેંકનાં અધિકારી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), તલાટી કામ મંત્રી, લીડ બેંક મેનેજર અથવા જીલ્લા ખેતીવાડી અધિકારીનો સપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text